PoK News : ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે પાકિસ્તાને ગેરકાયદે રીતે જમ્મુ-કાશ્મીરના ભાગ પર કબજો કરેલો છે, જેને ખાલી કરવો પડશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવથાનેની હરીશે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની ઓપન ડિબેટ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
આ ચર્ચાનો વિષય ‘સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં અનુકૂળતાને વધારવાનો; હતો, પરંતુ પાકિસ્તાને એકવાર ફરી તેમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પરવથાનેની હરીશે જવાબ આપતાં કહ્યું કે ‘જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને હંમેશા રહેશે. પાકિસ્તાને ગેરકાયદે રીતે આ વિસ્તાર પર કબજો કરેલો છે, જેને તાત્કાલિક ખાલી કરવો પડશે.’
ભારતે પાકિસ્તાન પર નિશાન સાધતાં કહ્યું કે તેણે ફરીથી ‘બિનજરૂરી ટિપ્પણીઓ’નો સહારો લીધો છે, પરંતુ તેનાથી પાકિસ્તાનના ગેરકાનૂની દાવા સાચા સાબિત થશે નહી, ના તો તેની સ્ટેટ-સ્પૉન્સર્ડ આતંકવાદની નીતિ સાચી સાબિત કરી શકાશે.
તેમણે આગળ કહ્યું કે ‘ભારત આ મંચનું ધ્યાન પાકિસ્તાનના સંકુચિત અને વિભાજનકારી એજેન્ડા તરફ ભટકવા નહી દે. ભારત આ મામલે વિસ્તારપૂર્વક જવાબ આપવાનું ટાળશે.